Aadhaar card: આધાર કાર્ડ અંગે અત્યંત મહત્વના સમાચાર, સરકાર તરફથી લોકોને મોટી રાહત

Aadhar Card News: 27 જૂનના રોજ પ્રકાશિત એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરજીઆઈ કાર્યાલયને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલી ઓળખ વિગતોને પ્રમાણિત કરવા માટે આધાર ડેટાબેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. 

Aadhaar card: આધાર કાર્ડ અંગે અત્યંત મહત્વના સમાચાર, સરકાર તરફથી લોકોને મોટી રાહત

Aadhar Card News: કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર  જનરલના કાર્યાલય (RGI) ને દેશમાં જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન વખતે આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે આવા રજિસ્ટ્રેશન માટે આધાર જરૂરી નહીં હોય. 27 જૂનના રોજ પ્રકાશિત એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરજીઆઈ કાર્યાલયને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલી ઓળખ વિગતોને પ્રમાણિત કરવા માટે આધાર ડેટાબેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. 

શું કહે છે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ 1969
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ 1969માં કહેવાયું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માંગવામાં આવેલી અન્ય વિગતોની સાથે એકત્ર કરાયેલા આધાર નંબરના સત્યાપન માટે સ્વૈચ્છિક આધાર પર હા કે નહીં આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

મામલો જન્મના મામલે બાળક, માતા પિતા અને સૂચના આપનારાની ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે અને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલા મામલામાં માતા-પિતા, પતિ કે પત્ની અને સૂચના આપનારાની ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે. 

રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન આધાર પ્રમાણીકરણના ઉપયોગ સંબંધમાં મંત્રાલય દ્વારા નિર્ધારિત દિશાનિર્દેશોનું પાલન કરશે. વર્ષ 2020માં મંત્રાલયે નિયમોને અધિસૂચિત કર્યા જેમાં કહેવાયું કે કેન્દ્ર સરકાર સુશાસન, જાહેર ધનના  ફ્લોને રોકવા અને જીવનમાં સરળતા વધારવા માટે સંસ્થાઓને ભલામણ કરીને આધાર ઓથોન્ટીકેશનની મંજૂરી આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news