7th Pay Commission: મોંઘવારી ભથ્થું તો 28% થઈ ગયું, પણ આ મુદ્દે કેન્દ્રીય કર્મચારીઓને મળ્યો ઝટકો!

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી નાખવામાં આવ્યા છે. 11 ટકાનો આ વધારો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખરેખર ખુશીના સમાચાર છે. પરંતુ આ ખુશી થોડી અધુરી છે.

7th Pay Commission: મોંઘવારી ભથ્થું તો 28% થઈ ગયું, પણ આ મુદ્દે કેન્દ્રીય કર્મચારીઓને મળ્યો ઝટકો!

7th Pay Commission Latest Updates: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી નાખવામાં આવ્યા છે. 11 ટકાનો આ વધારો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખરેખર ખુશીના સમાચાર છે. પરંતુ આ ખુશી થોડી અધુરી છે. કારણ કે કર્મચારીઓને આશા હતી કે સરકાર એરિયરને લઈને પણ કઈ જાહેરાત કરશે પરંતુ એવુ બન્યું નહીં. તેનો અર્થ એ થયો કે 18 મહિનાનો ડીએ એરિયર તેમને મળશે નહીં. 

1 જુલાઈથી મળશે વધેલુ ડીએ
મોંઘવારી ભથ્થુ વધારીને 28 ટકા કરવાના નિર્ણયથી લગભગ 65.26 લાખ પેન્શનર્સ અને લગભગ 48.34 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. કોરોનાના કારણે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જ કર્મચારીઓને અપાતા મોંઘવારી ભત્થામાં વધારા પર રોક લગાવી હતી. કર્મચારીઓને ત્યારથી જ 17 ટકાના દરે ડીએ મળતું હતું. કારણ કે સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે કર્મચારીઓનું 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું 17 ટકા જ રહેશે. વધેલું મોંઘવારી ભથ્થું એટલે કે 28 ટકા જુલાઈ 2021થી લાગુ થશે. 

મોંઘવારી ભથ્થું મળશે પરંતુ એરિયર મળશે નહીં
કર્મચારીઓની માંગણી હતી કે સરકાર તેમને રેટ્રોસ્પેક્ટિવ રીતે (પાછલી તારીખ)થી ડીએની ચૂકવણી કરે. પરંતુ સરકારે એ વાતની સ્પષ્ટ ના પાડી દીધી. સરકારે કહ્યું કે વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021થી જ લાગુ ગણાશે. તેનો અર્થ એ થયો કે 18 મહિનાનું ડીએ એરિયર કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે નહીં. આ  કર્મચારીઓ માટે થોડી નિરાશાજનક ખબર છે. કારણ કે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા કે તેમને ત્રણ બાકી ડીએના પૈસા મળશે તો તેમના ખાતામાં મોટી રકમ આવશે. 

કયા મહિનાની સેલેરીમાં આવશે વધેલું ડીએ
કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 28 ટકા ડીએ અને ડીઆર 1 જુલાઈથી લાગુ ગણાશે. પરંતુ શું તે જુલાઈના પગારમાં આવશે. આ મોટો સવાલ છે. કારણ કે એવું ત્યારે જ થશે જ્યારે કેન્દ્ર સરકાર આજે કે કાલે કોઈ આદેશ બહાર પાડે. કારણ કે કર્મચારીઓની સેલરી દર મહિનાની 16 તારીખે બનવાની શરૂ થઈ જાય છે. જો આમ ન થયું તો વધેલું ડીએ એટલે કે 28 ટકા આગામી મહિનાની સેલરીમાં જ આવી શકશે. 

DA વધ્યું તો કેટલી વધશે સેલરી
અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગારના 17 ટકા પ્રમાણે મળતું હતું જે હવે 28 ટકા થઈ જશે. એટલે કે 11 ટકાનો વધારો થશે. માની લો કે  કોઈ કર્મચારીની બેઝિક સેલેરી 20,000 રૂપિયા છે. તેને તેના 17 ટકા એટલે કે 3400 રૂપિયા અગાઉ ડીએ મળતું હતું. હવે તે 28 ટકા થયું એટલે કે 5600 રૂપિયા મોંધવારી ભથ્થું મળશે. તેનો અર્થ એ થયો કે પગારમાં 2200 રૂપિયા (5600-3400=2200) નો વધારો થશે. એ હિસાબે પેન્શનર્સના પેન્શનમાં પણ નક્કી થશે. કર્મચારી પોતાની બેઝિક સેલરી પ્રમાણે ગણતરી કરી શકે છે કે ડીએ વધ્યા બાદ સેલરીમાં કેટલો વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news