કોરોનાના વધતા દર્દીઓ સામે દેશ માટે સારા સમાચાર, અત્યારસુધીમાં આટલા દર્દીઓ થયા સ્વસ્થ

કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. જો કે, આ વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. આ બીમારીથી અત્યાર સુધીમાં 100 લોકો સ્વસ્થ થઇ ગયા છે. સોમવારના પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. દેશભરમાં કોરોનાથી મરનાર વ્યક્તિની સંખ્યા 29 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1071 પર પહોંચી ગઇ છે.
કોરોનાના વધતા દર્દીઓ સામે દેશ માટે સારા સમાચાર, અત્યારસુધીમાં આટલા દર્દીઓ થયા સ્વસ્થ

નવી દિલ્હી: કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. જો કે, આ વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. આ બીમારીથી અત્યાર સુધીમાં 100 લોકો સ્વસ્થ થઇ ગયા છે. સોમવારના પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. દેશભરમાં કોરોનાથી મરનાર વ્યક્તિની સંખ્યા 29 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1071 પર પહોંચી ગઇ છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સમાજના દરેક વ્યક્તિનો સહયોગ મળવો જોઇએ. જો એક પણ વ્યક્તિ છૂટે છે, સહયોગ નથી કરતો તો ઝીરો પર આવી જઈશું. 100 ટકા પ્રયત્નની જરૂર છે. કેન્દ્ર સરકારની તરફથી દેશમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવા માટે અને તમામ પ્રકારના હાલાત સામે લડવા માટે વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ 10 એમ્પોવર્ડ ગ્રુપ બનાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ગાઇડ લાઇનનો 100 ટકા અમલ થવો જોઇએ અને જો 99 ટકા થયો તો તમામ પ્રયત્નો નિષ્ફળ જશે.

કોરોના વાયરસથી મોટી ઉંમરના લોકોને વધારે મુશ્કેલી થાય છે. તેમને વધારે સાવધાન અને સતર્ક રહેવાની જરૂરીયાત છે. તેમના માટે અલગથી કેન્દ્ર સરકારે શું કરવું શું ન કરવું, તેની એડવાઈઝરી જાહેર કરી છે. કોરના વાયરસથી લડવા માટે ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવા પર ફોકસ કરી રહ્યાં છે અને દેશભરમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. માત્ર સાવધાન અને જાગૃત રહેવાની જરૂરીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news