જાણીતા ભજનિક હેમંત ચૌહાણના કંઠના માધુર્યમાં ઉમેરાયો રસી રૂપી સુરક્ષાનો રણકાર

ગુજરાત (Gujarat) અને ગુજરાત બહાર દેશ - દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકીક આનંદની અનુભૂતિ કરાવે છે. તેવા રાજકોટ (Rajkot) ના ભજનીક હેમંત ચૌહાણે (Hemant Chauhan) કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. 
જાણીતા ભજનિક હેમંત ચૌહાણના કંઠના માધુર્યમાં ઉમેરાયો રસી રૂપી સુરક્ષાનો રણકાર

ગૌરવ દવે/રાજકોટ : ગુજરાત (Gujarat) અને ગુજરાત બહાર દેશ - દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકીક આનંદની અનુભૂતિ કરાવે છે. તેવા રાજકોટ (Rajkot) ના ભજનીક હેમંત ચૌહાણે (Hemant Chauhan) કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. 

રસીકરણના પ્રથમ ડોઝ બાદ બિલકુલ સ્વસ્થતા સાથે હેમંતભાઈએ જણાવ્યું હતુ કે, મે આજે કોરોના સામે રક્ષણ આપતી રસી લેધી છે. મને તેની કોઈ જ આડ અસર થઈ નથી હું લોકોને અપીલ કરૂં છું કે, સરકાર અને રસી બંને પર ભરોસો રાખી વેક્સિનેશન (Corona Vaccine) કરાવે.

કોરોનાની મહામારીમાં બહું લાંબા સમય પછી આપણને રસી મળી છે. જેનું આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ. અને તેથી જ પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ તેવું હેમંતભાઈ ચૌહાણે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) વેસ્ટ ઝોન રસીકરણ કેન્દ્ર ખાતે રસી લીધા બાદ ભજનિક હેમંતભાઈ (Hemant Chauhan) એ કોરોના વોરિયર્સ અને ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના સામે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી.

ગ્રામ્ય વિસ્તારના ચાહક વર્ગને રસી થી ડરો નહિ તેવી કરી અપીલ
હેમંતભાઈ ચૌહાણ (Hemant Chauhan) ના ભજનોનો બહોળો વર્ગ ગ્રામ્ય લોકોનો છે. તેથી જ તેમણે ગ્રામ્યજનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસીને લઈને જે કઈ ગેર સમજ હોઈ કે કોઈ શંકા હોઈ તેને દૂર કરીને સૌ કોઇએ વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવી કોરોના સામેના જંગમાં વિજયી બનવાનું છે. અને હા, વેક્સિનેશન બાદ પણ આ રોગ સમૂળગો જાઈ નહિ ત્યાં સુધી માસ્ક, સૅનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અવશ્ય કરવાનું જ છે તેવી લોકોને અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news