GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 3 રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના આંકડો હવે સિંગલ ડીઝીટમાં આવી ચુક્યો છે. આજે કોરોનાના નવા માત્ર 08 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 03 દર્દી સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,187 નાગરિકો મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે રસીના કુલ 80,835 ડોઝ આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 3 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડો હવે સિંગલ ડીઝીટમાં આવી ચુક્યો છે. આજે કોરોનાના નવા માત્ર 08 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 03 દર્દી સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,187 નાગરિકો મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે રસીના કુલ 80,835 ડોઝ આપવામાં આવ્યા હતા. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 103 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 103 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 2,13,187 નાગરિકો ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10942 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારે ઉંમરના 1011 ને રસીનો પ્રથમ જ્યારે 10072 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 309 ને રસીનો પ્રથમ અને 2731 ને રસીનો બીજો ડોઝ અપાયો તો. 10965 ને પ્રિકોર્શન ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 9743 ને પ્રથમ અને 46004 નેરસીનો બીજો ડોઝ અપાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news